Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ધીરજમુનિજીના સંયમ જીવનની અનુમોદનાર્થે કાલે સમૂહ વરસીતપ અતરવારણા : સંઘ કર્મચારીનું સન્માન

રાજકોટ, તા. ૨૨ : ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીની શતાબ્દી ઉપલક્ષે સમૂહ વરસીતપ આરાધકોના ચોથા મણકાના અતરવારણા પૂ. શ્રી ધીરગુરૂદેવની ૩૭મી દીક્ષા જયંતિ અનુમોદનાર્થે કાલે તા.૨૩ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે પૂ. મહાસતીજી વૃંદની નિશ્રામાં સમૂહ સમાધિ જાપ અને ૧૧:૩૦ કલાકે તપસ્વીઓનું ભોજન શ્રીમતી રંજનાબેન જયંતભાઈ કામદાર (અમેરીકા) અને શ્રીમતી મંજુલા મધુકાંત શેઠ તરફથી યોજાયેલ છે. તપસ્વીઓને ૧૦ વાગ્યે જૈન ભવન, પહેલા માળે ૨૧ - જાગનાથ ખાતે યોજાયેલ છે.

જયારે રાજકોટના સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘના કર્મચારી ગણનું સન્માન તા.૨૪ને શનિવારે કામદાર ઉપાશ્રય ખાતે બપોરે ૩ થી ૪:૩૦, વૈશાલીનગર શેરી નં. ૫, આમ્રપાલી સિનેમા સામે, રૈયા રોડ ખાતે શ્રીમતી રંજનાબેન જે. કામદાર હ. દેવલ હિતેન કામદાર તરફથી રાખેલ છે.

દરેક સ્થા. જૈન સંઘોએ કર્મચારીની યાદી શુક્રવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પી. એમ. ફાઉન્ડેશન, ઈન્દ્રપ્રસ્થનગર સંઘ, હેમુ ગઢવી હોલ પાછળ મોકલી આપવા તથા આવનારનું સન્માન કરાશે તેમ યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)