Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વિપક્ષી નેતા પદેથી વશરામભાઇ સાગઠિયાનું રાજીનામુઃ હવે કોણ?

ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઇ કાલરીયા, ડો.ઉર્વશીબેન પટેલ, વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના નામો ચર્ચામાં

રાજકોટ,તા.૨૨: મ્યુનિ. કોર્પોરેશનનાં વિપક્ષી પદેથી વશરામભાઇ સાગઠિયાએ રાજીનામુ આપતા હવે કોણ તેની ચર્ચાએ જોર પકડયુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમય પહેલા મ્યુનિ. કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતા પદેથી વશરામભાઇ સાગઠિયાએ રાજીનામુ આપ્યુ હતુ. આ અંગે પ્રદેશ કક્ષાએથી રાજીનામુ મંજુુર કરવા કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હતો.હવે આ રાજીનામુ સ્વીકારવામાં આવે તો હવે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં વિપક્ષી નેતા પદે કોણ તેવી ચર્ચાનો દોર શરૂ થયો છે.

આ અંગે કોર્પોરેશનની લોબીમાં ચર્ચાતી  વિગતો મુજબ આગામી સમયમાં મહિલા મેયરની ટર્મ હોય તો વિપક્ષી નેતા પદે મહિલાની પસંદગી થઇ શકે છે.જેમાં ગાયત્રીબા વાઘેલા,ડો.ઉર્વશીબેન પટેલ, ધર્મષ્ઠિાબા જાડેજા તથા જાગૃતિબેન ડાંગર સહિતનાં નામો ચર્ચામાં છે.

જયારે મહિલાની વિપક્ષી નેતા તરીકે પંસદગી મોવડી મંડળ દ્વારા ન કરવામાં આવે તો મનસુખભાઇ કાલરીયા, વિજય વાંક, ઘનશ્યામસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતનાં સભ્ય પર પસંદગી કરવામાં આવી શકે છે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.

(3:53 pm IST)