Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

BSNLના ડીવીઝનલ એન્જીનીયર શ્રી મેનપરાની લાડલી પુત્રીના શુભ લગ્નોત્સવઃ મહાનુભાવોના આશિર્વાદ..

ચિ. ખુશાલી * ચિ. હની

રાજકોટ :.. ભારત સંચાર નિગમ લીમીટેડના રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ એન્જીનીયર તથા સંચાર નિગમ એકઝીકયુટીવ એસો.ના અગ્રીમ હોદેદાર શ્રી બી. એમ. મેનપરાની સુપુત્રી ચિ. ખુશાલીના શુભ લગ્નોત્સવ-રંગેચંગે -ધામધૂમથી ઉજવાયા હતાં., શહેરના અગ્રણીઓ-ઉદ્યોગપતિઓ-ડોકટરો-વકીલો-બીએસએનએલ.ના હાઇલેવલ અધિકારીઓ-કર્મચારીઓએ ચિ. ખુશાલી તથા ચિ. હનીને આશીર્વાદ પાઠવ્યા હતાં. રવિવારે ૧૮-ર-૧૮ ના રોજ પીરામીડ પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે યોજાયેલ શુભ લગ્નમાં સન્માનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રી કુમનભાઇ વરસાણી, ચીમનભાઇ હપાણી અને બકુલભાઇ સોરઠીયા, રાજકોટ મર્ચટ એસોસીએશનના પ્રમુખશ્રી શીવલાલભાઇ બારસીયા, અગ્રણી ડોકટરો, વિવિધ સંસ્થાઓનાં આગેવાનો, રાજકોટ બી. એસ. એન. એલ. પ્રિન્સીપાલ જનરલ મેનેજરશ્રી એ. કે. ઉપાધ્યાય, ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી વીરડીયા, શ્રી રૈયાણી, શ્રી માદળીયા, શ્રી ફુલતરીયા, સંચાર નિગમ એકિસકયુટીવ એસોસીએશન ગુજરાતના સર્કલ સેક્રેટરી શ્રી બી. જી. પટેલ અને લીડર પી. ચાવડા, એમ. કે. રાવલ, અશોક હિંડોચા, વગેરેએ ખાસ હાજરી આપી હતી. આ તકે ઉપસ્થિત નહીં રહી શકેલ કૃષિમંત્રીશ્રી આર. સી. ફળદુ, સહકારી અગ્રણી શ્રી દિલીપભાઇ સંઘાણી, રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, ખોડલધામના પ્રમુખ શ્રી પરેશભાઇ ગજેરા, રાજકોટ નાગરીક બેંકના ડાઇરેકટર શ્રી હંસરાજભાઇ ગજેરા, દ્વારા ખાસ મેસેજ દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતાં.  આ શુભલગ્નોત્સ્વની તસ્વીરમાં નદંપતિ ખુશાલી-હનીને આશીર્વાદ પાઠવતા પિતાશ્રી બાબુભાઇ મેનપરા અને માતા હંસાબેન તથા વેવાઇ શ્રી જયંતભાઇ દૂધાત્રા અને ઇન્દુબેન નજરે પડે છે. બીજી તસ્વીરમાં શ્રી મેનપરા સાથે જાણીતા ઉદ્યોગપતિ તથા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ અને અન્યો જણાય છે, ત્રીજી તસ્વીરમાં ખુશખુશાલ ચહેરે નજરે પડતા નવદંપતિ ચિ. હની અને ચિ. ખુશાલી નજરે પડે છે, નીચેની તસ્વીરમાં શ્રી મેનપરા સાથે સંચાર નિગમ એકઝી. એસો.ના સેક્રેટરી શ્રી બી. જી. પટેલ, શ્રી એમ. કે. રાવલ તથા અન્યો નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં શ્રી નરેશભાઇ પટેલ, અન્ય અગ્રણીઓ સાથે ડીવીઝનલ એન્જીનીયર શ્રી મેનપરા જણાય છે.

(3:57 pm IST)