Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દિકરા-દીકરીના લગ્નની ચિંતામાં કરશનભાઇ ભરવાડનો આપઘાત

રાજલક્ષ્મી સોસાયટીમાં બનાવઃ આર્થિક પરિસ્થિતી નબળી હતીઃ ૧૮મીએ ભરવાડ પ્રૌઢે ગળાફાંસો ખાઇ લીધો'તોઃ સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં કલ્યાંત

રાજકોટ તા.૨૨: કોઠારિયા રોડ હુડકો કવાટર બાજુમાં રાજલક્ષ્મી સોસાયટી મેઇન રોડ પર રહેતા ભરવાડ પ્રૌઢે પાંચ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લીધો હતો. તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હુડકો કવાટર પાસે રાજલક્ષ્મી સોસાયટી મેઇન રોડ પર રહેતા કરશનભાઇ જામાભાઇ ભરવાડ (ઉ.વ.૫૦)એ ગત તા.૧૮/૨ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. મૃતક કરશનભાઇ હુડકો પાસે શાકમાર્કેટમાં થડો રાખી ધંધો કરતા હતા. તેને ત્રણ પુત્રી અને એક પુત્ર છે ચોથા મહિનામાં દીકરા-દીકરીના લગ્ન હોઇ અને આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તેની ચિંતામાં તેણે આ પગલુ ભર્યાનું ખુલ્યુ હતુ આ અંગે ભકિતનગર પોલીસમથકના પીએસઆઇ એમ.ડી.વાળા, રાઇટર મનહરદાન ગઢવી, નિલેષભાઇ તથા સુભાષભાઇ ડાંગરે તપાસ આદરી છે.

(3:36 pm IST)