Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બેભાન હાલતમાં ૪ વ્યકિના મોત

શરદભાઇ છાંટબાર, ધનાભાઇ ગોહેલ, સન્યાસીભાઇ મદ્રાસી અને રાજુભાઇ ખોડાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૨: બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા ચાર વ્યકિતએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

સંત કબીર રોડ પર સદ્દગુરૂ સાનિધ્ય પાસે મેહુલનગર-૧માં રહેતાં શરદભાઇ કાંતિલાલ છાંટબાર (ઉ.૫૨) નામના બ્રહ્મક્ષત્રીય પ્રોૈઢને કિડનીની બિમારી હોઇ રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતક બે ભાઇમાં નાના હતાં અને બંગડીનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર કેવલભાઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

બીજા બનાવમાં લક્ષ્મીવાડીમાં કવાર્ટરમાં રહેતાં ધનાભાઇ ઘેલાભાઇ ગોહેલ (ઉ.૫૬)ને રાત્રે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં રૂખડીયાપરામાં ફાટક પાસે મદ્રાસી ખાડામાં રહેતાં સન્યાસીભાઇ અર્જુનભાઇ મદ્રાસી (ઉ.૬૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

ચોથા બનાવમાં ગોંડલ રોડ રાજકમલ પેટ્રોલ પંપ પાછળ સુવિધા એન્ટરપ્રાઇઝ સામે રહેતો રાજુભાઇ મછાભાઇ ખોડા (ઉ.૨૮) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

(9:38 am IST)