Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બેભાન હાલતમાં જસુબેન નકુમ અને રાજુભાઇ સરધારાનું મોત

રૈયા રોડ બાલમુકુંદ સોસાયટી અને કરણપરામાં બનાવ

રાજકોટ તા.૨૧: રૈયા રોડ ન્યુ બાલમુકુંદ સોસાયટી ગોપાલ ચોક શેરી નં. ૩માં રહેતાં જસુબેન કાંતિભાઇ નકુમ (ઉ.૫૫) નામના મહિલા બિમારીને કારણે સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં યુનિવર્સિટીના  એએસઆઇ સતિષભાઇ ગામેતીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં રૂખડીયા કોલોનીમાં હનુમાનજીના મંદિર પાસે રહેતાં રાજુભાઇ કાનાભાઇ સરધારા (ઉ.૭૦) નામના વાલ્મિકી વૃધ્ધ કરણપરા-૨૨માં કોર્પોરેશન કચેરી પાછળ શ્યામ પ્રભુ કોમ્પલેક્ષ પાસે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. એ-ડિવીઝનના પીએસઆઇ આર. સી. રામાનુજ અને મોૈલિકભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.  રાજુભાઇ વણકર વર્ષોથી એકલવાયુ જીવન જીવતાં હતાં અને આ કોમ્પલેક્ષ પાસે જ સુઇ રહેતાં હતાં. ટીબીની બિમારીથી મોત નિપજ્યાનું ખુલ્યું હતું.

(2:48 pm IST)