Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ભગીરથ સોસાયટીમાં જસુબેન ભરવાડને જેઠ દિનેશે માર માર્યો

રાજકોટ તા. ૨૧: સામા કાંઠે ભગીરથ સોસાયટીમાં રહેતી જસુબેન નારણભાઇ માટીયા (ઉ.૨૭) નામની ભરવાડ પરિણીતાને રાત્રે સાડા દસેક વાગ્યે તેના જેઠ દિનેશ મેઘાભાઇ માટીયાએ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. જસુબેનના લગ્ન નવ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ રિક્ષા હંકારે છે. જસુબેનના માવતર તરઘડી રહે છે. તેના ભાઇ લાખાભાઇ નાગજીભાઇ બાંભવાએ કહ્યું હતું કે સામ-સામા સગપણમાં બનેવી નારણભાઇની બહેન જયાના લગ્ન મારી સાથે  થયા છે, મારી પત્નિ હાલ રાજકોટ રિસામણે ગઇ હોઇ તે બાબતનું મનદુઃખ રાખી બહેન જસુબેનને તેના જેઠે માર માર્યો હતો.

(2:45 pm IST)