Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મનપામાં ભળેલા ઘંટેશ્વર -માધાપર વિસ્તારમાં તાકિદે પ્રાથમિક સુવિધા આપો

રસ્તા, પાણી,ગટર, સફાઇ સહિતની સમસ્યા ઉકેલવવા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર બાબુભાઇ આહિર દ્વારા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલને રજુઆત

રાજકોટ,તા. ૨૧: શહેરના વોર્ડ નં. ૧માં ના ભળેલ માધાપર, ઘંટેશ્વર, નાગેશ્વર સહિતનાં વિસ્તારોમાં રસ્તા, પાણી ગટર સહિતની સુવિધાઓ આપવા કોર્પોરેટર બાબુભાઇ આહીર દ્વારા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલને રજુઆત કરી છે.

વોર્ડ નં. ૧ના જાગૃત કોર્પોરેટર તથા વોટર વર્કસ સમિતિના ચેરેમેન બાબુભાઇ આહીર યાદીમાં જણાવેલ છે કે, તાજેતરમાં વોર્ડ નં. ૧ ઘટેશ્વર, નાગેશ્વર, માધાપર, પરશુરામ વિગેરે અનેક નવા વિસ્તારો ભળ્યા છે. ત્યારે તે વિસ્તારોના પ્રજાજનો વિકાસના કામથી વંચિત ન રહે  તમામ સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ, પાણી વિતરણ વ્યવસ્થા, ભૂગર્ભ ગટર યોજના, રોડ રસ્તા, આરોગ્ય સફાઇ જેવા પ્રજાજનોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનું સુવિધાઓ તાકીદે આપવા માંગ કરી છે.

(3:54 pm IST)