Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સરિતા વિહાર આરાધક સંઘમાં

પૂ. ઉર્મિલાબાઇ મ.સ.ની માસક્ષમણની તપસ્યાના સોમવારે પારણાઃ સ્વામી વાતસલ્ય

રાજકોટ તા ૨૧ : શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર સંસ્કારિત શ્રી સરિતાવિહાર આરાધરક સંધમાં બા.બ્ર. પૂ.ઉર્મિલાબાઇ મહાસતીજી તથા બા.બ્ર. પૂ. રાજુલબાઇ મહાસતીજીની પાવન પવિત્ર સાનીધ્યમાં દેવગુરૂધર્મના પ્રભાવે ઉગ્ર તપસ્વી બા.બ્ર. ઉર્મીલાબાઇ મહાસતીજીના ૩૧ ઉપવાસના તપના પારણા નિમીતે શ્રી સ્વામી વાત્સલ્યના લાભાર્થી સવ. ચંદ્રમણિ મણીલાલ અમીચંદ શાહ પરિવાર હ. નિરૂપમા અભિજીત શાહ, મનિષા નીલેશ શાહ, સ્વ. ભાનુમતી મતિરંજન શાહ પરિવાર હ. હર્ષાબેન નિરંજન શાહ, આસિત નિરંજન શાહ છે. પારણા તથા સ્વામી વાતસલ્ય તા. ૨૩ ને સોમવારે રાખેલ છે. તેમ સંઘ પ્રમુખ હર્ષાબેન મોદીની યાદીમાં જણાવેલ છે. સમગ્ર ઉપાશ્રયનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે. તથા રાજકોટમાં બિરાજીત સાધુ-સાધ્વીજીઓમાં એક માત્ર ઉર્મીલાબાઇ મ.સ. એ માસક્ષમણની તપસ્યા કરેલ છે.

(3:40 pm IST)