Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કાલે રઘુવંશી વિદ્યાર્થીઓને રાહતદરે લેપટોપ વિતરણઃ કારર્કિદીલક્ષી માર્ગદર્શન

રઘુવંશી એજયુકેશનલ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ સ્કોલરશીપ વિતરણ

રાજકોટ,તા.૨૧: શ્રી રઘુવંશી એજયુકેશનલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને રાહતદરે લેપટોપ વિતરણ તથા મોટીવેશનલ સ્પીચ અને તજજ્ઞો દ્વારા કારકીર્દી માર્ગદર્શનનું આયોજન આવતીકાલે તા.૨૨ને રવિવારે ૧૦ કલાકે રાજકોટ એન્જી.એસો.હોલ, ભકિતનગર રાજકોટ ખાતે યોજાયો છે.

રઘુવંશી એજયુ.ટ્રસ્ટના ઉપક્રમે રઘુવંશી વકતા શિક્ષણ શ્રેષ્ઠી શ્રી લલિતભાઈ ચંદે દ્વારા વિદ્યર્થાીઓને મોટીવેશનલ સ્પીચ તેમજ વિજયભાઈ જોબનપુત્રા તેમજ તેમની ટીમ દ્વારા જી.પી.એસ.સી. તથા યુ.પી.એસ.સી તથા સ્પર્ધાત્મક કસોટી માટે માર્ગદર્શન આપશે.

ઉલ્લેખનિય છે કે શ્રી રઘુવંશી ટ્રસ્ટ વર્ષ ૨૦૧૫થી દાણાપીઠના વેપારી બંધુઓ એકઠા થઈ છેલ્લા ચાર વર્ષથી સુરેશભાઈ ગોળવાળાના પ્રમુખ સ્થાનેથી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ દર વર્ષે શિક્ષણ ક્ષેત્રમાં રઘુવંશી વિદ્યાર્થીઓ પોતાને શ્રેષ્ઠ દેખાવ કરે તે માટે તેમજ શિક્ષણ દ્વારા જ્ઞાનપ્રાપ્તી કરે અને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનું યોગદાન આપે તે માટે ગત જુલાઈ માસમાં સ્કોલરશીપ વિતરણના કાર્યક્રમમાં ૫૦૦થી વધુ વિદ્યાથીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવેલ તેમજ સમાજના શ્રેષ્ઠીઓનર સહકારથી રાહતદરે એટલે કે, ૫૦ટકા કિંમતે શિક્ષણમાં ઉપયોગી થાય તે માટે લેપટોપ વિતરણ ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા એજ્યુ. ટ્રસ્ટના હોદેદારો પ્રમુખશ્રી સુરેશભાઈ ગોળવાળા (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦), ઉપપ્રમુખશ્રી ડાહયાલાલ કેસરીયા (મો.૯૯૦૯૯ ૧૬૦૮૦), સેક્રેટરી ભરતભાઈ ભીંડોરા(મો.૯૮૨૫૨ ૭૫૯૮૪), કાર્યકારી પ્રમુખ ઉમેશભાઈ નંદાણી, ખજાનચી નલીનભાઈ બુધ્ધદેવ તથા કારોબારી સભ્યો પ્રદિપભાઈ ગણાત્રા, સંજયભાઈ સોમૈયા, પરેશભાઈ પોપટ, ધવલભાઈ રાચ્છ, દિનેશભાઈ તન્ના, સંદીપભાઈ કોટેચા તથા પંકજભાઈ રાચ્છ તથા કાર્યકારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:33 pm IST)