Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

'વ્હાલુડીના વિવાહ' ની દમદાર તૈયારી અર્થે કાર્યકર્તાઓની બેઠક

રાજકોટ : દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે પિતાની છત્રછાયા  ગુમાવનાર દીકરીઓના વિવાહનું જાજરમાન આયોજન કરાયુ છે. જેના ભાગરૂપે કાર્યકર્તાઓને માર્ગદર્શન અર્થે એક મીટીંગ તાજતેરમાં કોટેચા સ્કુલ મધ્યસ્થ હોલમાં મળી હતી. જેમાં જાણીતા બિલ્ડર ભાવેશભાઇ પટેલ, જાણીતા એકસ્પોટર હરીશભાઇ લાખાણી, કડવા પટેલ સમાના મોભી અને દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના શિવલાલભાઇ આદ્રોજા, ટર્બો બેરીંગ્ઝના ચેરમેન પ્રતાપભાઇ પટેલ, જાણીતા બિલ્ડર પ્રશાંતભાઇ લોટીયા, અમિતભાઇ ભાણવડીયા સહીતના શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ. ૨૦૦ જેટલા કાર્યકરોએ ઉપસ્થિત રહી 'વ્હાલુડીના વિવાહને' ને દમદાર બનાવવા કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢી હતી. સંસ્થાના કોર કમીટીના સભ્ય ઉપેનભાઇ મોદીએ તમામનું સ્વાગત કરેલ. જયારે આયોજનની રૂપરેખા સંસ્થાન મુકેશભાઇ દોશી અને કીરીટભાઇ આદ્રોજાએ વર્ણવી હતી. અંતમાં આભાર દર્શન સુનિલ વોરાએ કરેલ. સમગ્ર મીટીંગને સફળ બનાવવા નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, હરેશ પરસાણા, રાકેશ ભાલાળા, પ્રવિણ હાપલીયા, કીરીટભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, ગૌરાંગ ઠકકર, સુનિલ મહેતા, યશવંતભાઇ જોષીએ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)