Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મહોરમ નિમિતે નિલકંઠ પાર્ક સોસાયટીમાં પંજા સવારી

મહોરમના દસ દિવસ અબ્બાસ અલમદાર પંજા સવારી ગાદીએ હિન્દુ-મુસ્લિમ ભાઇઓ, બહેનો દીદાર કરી મુરાદ માંગે છે

રાજકોટ :મહોરમ નિમિતે કોઠારીયા મેઇન રોડ, નિલકંઠ સિનેમા પાસે નિલકંઠ પાર્ક રમાં દસ દિવસ અબ્બાસ અલમદાર પંજા સવારીની ગાદીએ હિન્દુ-મુસ્લિમ ભાઇઓ તથા બહેનો દીદાર કરવા આવે છે અને શ્રધ્ધાથી ફુલો, અગરબતી, નાળીયેર ચઢાવી પોતાની મુરાદો હોય તે પુરી કરે છે. દર ગુરૂવારે હિન્દુ-મુસ્લિમ નિલકંઠ પાર્ક-ર કોર્નર ખાતે ન્યાઝનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં મુંજાવર અનવરભાઇ અલાઉદ્દીનભાઇ ઘાડા, અમીતભાઇ સોરઠીયા, વિજયભાઇ સીદપરા, ધર્મેશભાઇ ઢોલરીયા, ધવલભાઇ ભુવા, ધર્મેશભાઇ સોલંકી, ધર્મેશભાઇ ચોવટીયા, મુકેશભાઇ, વિવેકભાઇ પટેલ, પંકજભાઇ પરમાર, સિકંદરભાઇ આમદાણી, અલ્તાફભાઇ, સીરાઝભાઇ સુમરા, નાસીરભાઇ ઘાડા, ઇમ્તીયાઝભાઇ સુમરા, અમીનભાઇ, ઇમરાનભાઇ, રફીકભાઇ, રહેમભાઇ, પ્રશાંતભાઇ, રહીમભાઇ ,કિશનભાઇ, ધર્મેશભાઇ, ફિરોઝભાઇ, ચીરાગભાઇ, અમીતભાઇ, ઇસુબભાઇ તથા વિજયભાઇ સહિત જહેમત ઉઠાવી રહયા છે.(૧.૧૫)

(3:54 pm IST)