Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સી.આર.પાટીલની નિમણુંકથી સંગઠનનો વ્યાપ વધશે : ભારદ્વાજ-ભંડેરી-મિરાણીની શુભેચછા

રાજકોટ તા. ૨૧ : ગુજરાત ભાજપ  પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલની થયેલ નિમણુંકને આવકારી શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યુ છે કે શ્રી પાટીલની ગણના ચુંટણીના વ્યુહ રચનાકાર તરીકે થાય છે. તેમના આગમનથી સંગઠનનો વ્યાપ વધશે.

શ્રી પાટીલ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાના પણ માહીર ગણાય છે. તેમના નેતૃત્વમાં ગુજરાત વિકાસ સાધશે. તેમ શુભેચ્છા પાઠવતા ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયકત યાદીમાં જણાવેલ છે.

(4:22 pm IST)