Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રેલ્વે સ્ટેશને બનેલી ઘટના અંગે હાલ કોઇ તપાસ નહીઃ રેલ્વે પોલીસ દ્વારા પગલા લેવાયા છે

રાજકોટ તા. ર૧ : ગઇકાલે રેલ્વે સ્ટેશનેે ગોંડલ નગરપાલીકાના કર્મચારી નિશાંત બોરીસાગરને રેલ્વે પોલીસના સાગર ઇશ્વરલાલે હાથ ઉપર લાકડીઓ ફટકારી અને આ ઘટના બાદ ગોંડલ પ્રાંત શ્ી રાજેશ આલ ત્યાં આવતા તેમની સાથે પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કોન્સ્ટેબલ દ્વારા કરાતા તેના ઘેરા પડઘા પડયા હતા.

આ બનાવ બાદ ગોંડલ પ્રાંત શ્રી આસિ.કલેકટરને રીપોર્ટ પણ કર્યો હતો, કલેકટરે વીગતો પણ જાણી હતી.

દરમિયાન આ બાબતે રેલ્વે પોલીસે કોન્સ્ટેબલને સસ્પેન્ડ અને પીઆઇની બદલી કરતા હુકમો કરતા તે વિગતો પણ કલેકટર તંત્રને અપાઇ હતી. દરમિયાન આ ઘટના અંગે એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે હાલ આ બાબતે કોઇ તપાસ નથી, અને રેલ્વે પોલીસ દ્વારા પણ જવાબદારો સામે પગલા લેવાયા છે. બીજીબાજુ સીટી પ્રાંત-૧ શ્રી ગઢવીએ ''અકિલા''ને જણાવેલ કે હજુ સુધી મારી પાસે તપાસ અંગે કોઇ ઓર્ડર આવ્યો નથી, આવશે તો તપાસ કરાશે અને નિવેદનો લેવાશે.

(3:49 pm IST)