Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉન-૪માં ધંધા રોજગારની છુટ મળતા હાશકારો : પટેલ-રૈયાણી- સાગઠીયા

રાજકોટ, તા. ર૧ :  લોકડાઉન-૪ની જાહેરાત થઇ અને ઘણા સમયથી ઘરમાં રહેલ લોકોને ધંધા ઉપર જવાની છુટ મળતા હાશકારો થયો તે બદલ ધારાસભ્યશ્રીઓ  ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયાએ એક સંયુકત નિવેદનમાં આભાર વ્યકત કર્યો છે.  શ્રી પટેલ, રૈયાણી તથા સાગઠીયાએ વધુમાં જણાવેલ છે કે છુટછાટ મળતા લોકમુકત મને ખરીદી કરવા બજારમાં નીકળે. જનતા ને વિનંતી છે કે સરકારની સૂચનાનું પાલન કરીએ, અંતર જાળવીએ, ભીડ ન કરીએ અને કોરોના સામેની લડતમાં સૌ સાથે મળીને વિજય મેળવે.

વહીવટી તંત્રને પણ જયાં ભીડ ભાડ વાડી બજારો છે ત્યાં તંત્ર માર્ગદર્શન આપતા રહેવા અને કોઇને લાકડી નહી મારી વિવેક દાખવવા જણાવ્યું છે.

(3:46 pm IST)