Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોંગ્રેસની ફરીયાદ મળ્યે તપાસ થશેઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા

રાજકોટ, તા., ર૧: કોંગ્રેસના ખેડુત પાંખના અગ્રણી પાલાભાઇ આંબલીયા (પાલ આંબલીયા)ને પોલીસે ગઇ સાંજે ફીંગર પ્રિન્ટના બ્હાને પોલીસ કમિશ્નર કચેરી ખાતે બોલાવી એસીપી જયદીપ સિંહ સરવૈયા અને પીઆઇ ગઢવીએ બેફામ માર મારી ગોંધી રાખ્યાની ફરીયાદ થઇ છે.

આ દરમિયાન ડીસીપી ઝોન-ર મનોહરસિંહજી જાડેજાએ માધ્યમોને જણાવ્યું હતું કે, હજુ સુધી અમને આ બારામાં કોઇ લેખીત ફરીયાદ મળી નથી. આવી કોઇ ફરીયાદ થશે તો અમે જરૂર તપાસ કરીશું.

(3:23 pm IST)