Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

શાકમાર્કેટના દુકાનધારકોને વેપારની છૂટ આપો : રજુઆત

રાજકોટ : શહેરમાં દેવપરા, જયુબેલી, લાખાજી રાજ રોડ ડીસ્કોમાર્કેટ, ગોવિંદ બાગ તથા હુડકો, ગુંદાવાડી સહિતના વિસ્તારમાં આવેલ શાકમાર્કેટના દુકાનદારોને વેપારની છુટ આપવા એસોસીએશનના પ્રતિનીધીઓ દ્વારા મ્યુ. કોર્પોરેશનના આસી. કમિશનર હરીશ કગથરાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.  આ રજૂઆતમાં મનુભાઇ જોબનપુત્રા, મુકેશભાઇ ડોડીયા, પ્રેમજીભાઇ સાકરીયા, પ્રતાપભાઇ પરમાર, સંજયભાઇ, પ્રવિણભાઇ તથા સુરેશભાઇ સહિતના એસોસીએશનનાં પ્રતિનિધિઓ જોડાયા હતા.

(3:04 pm IST)