Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

તરઘડીમાં ઉજવલા દિવસની ઉજવણી

નંદ ગોપાલ ભારત ગેસ એજન્સી દ્વારા તરઘડીયા ખાતે ઉજવલા દિવસ નિમિતે જનજાૃતિ સેમીનાર યોજવામાં આવ્યો હતો. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશનના અધિકારી ડી. વી. મામદાપુર, રાજકોટ ટેરેટરીના શ્રી ચિલવંત, પૂર્વ સાંસદ અને ગ્રાહક સુરક્ષાના પ્રમુખ રમાબેન માવાણી, ભાજપ મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ રસીલાબેન સોજીત્રા, તરઘડીયાના મહીલા પ્રમુખ અને સરપંચ ભારતીબેન રામાણી, સભ્ય અનસુયાબેન,  સ્વતંત્ર સેનાની મનુભાઇ વિઠલાણી, પૂર્વ સરપંચ સવજીભાઇ મકવાણા, મયુર રમેશભાઇ પુરોહીત, અંકુરભાઇ વસોયા, કુવાડવાના ભીખુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રઘુભાઇ વોરા, હિતેષભાઇ કાકડીયા, છગનભાઇ વસોયા, ચતુરભાઇ રામાણી, હરેશભાઇ લશ્કરી, બાબુભાઇ વઢીયા, પરસોતમભાઇ રામાણી, કડવાભાઇ વસોયાએ જહેમત ઉઠાવી હતી માઇક વ્યવસ્થા પ્રાગજીભાઇ રામાણીએ અને સ્ટેજ તથા મંડપ વ્યવસ્થા ગોપાલ ફાર્મના સુરેશભાઇ રામાણીએ સંભાળી હતી. (૧૬.૫)

(3:56 pm IST)