Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રેલ્વે સલાહકાર સમિતિમાં રમાબેનની ૪થી વખત નિમણુંક

રાજકોટ તા. ર૧: રેલ્વે વિભાગ દ્વારા દેશના રેલ્વેના જુદા જુદા ડિવીઝનોમાં લોકોના પ્રશ્નોની રજુઆત માટે રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે ત્યારે રાજકોટ ડિવીઝનની સલાહકાર સમિતિમ રચાતા (ગ્રાહકોના હિતોના વિભાગમાં) શ્રીમતિ રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા) ની સતત ચોથી વખત નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ અગાઉ રેલ્વેની રાષ્ટ્રીય કક્ષાની, ઝોન કક્ષાની અને ડિવીઝન કક્ષાની કમિટીઓમાં રહ્યા છે. લોકોના રેલ્વેના પ્રશ્નો ઉપર તેમનો ઉંડો અભ્યાસ છે.

રેલ્વેને લગતા પ્રશ્નો આપ નીચે જણાવેલ સરનામે મોકલી આપવા રમાબેન આર. માવાણી, પ્રમુખશ્રી, રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩ર૯, પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર, રાજકોટ. ફોનઃ ૦ર૮૧-ર૪૭૧૧ર૦

(4:27 pm IST)