Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

નવાગામ રંગીલા સોસાયટીમાં દેવીપૂજક દંપતિ પર હુમલો : બે ભાઇઓ સહિત ચાર શખ્સો એ મારમારી ઉંદર મારવાની દવા પાઇ દીધાનો આક્ષેપ

રાજકોટ : નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા દેવીપૂજક દંપતિ પર તેના બે ભાઇઓ સહિત ચાર શખ્સોએ મારમરતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ રંગીલા સોસાયટીમાં રહેતા દીલીપભાઇ પોપટભાઇ દેવીપૂથક (ઉ.વ.૩પ) તેની પત્ની હંસાબેન (ઉ.વ.૩ર) પોતાના ઘરે હતા. ત્યારે દિલીપભાઇના ભાઇ રમેશ અને મકતુ  તથા બે અજાણ્યા શખ્સો આવી ઝઘડો કરી દિલીપભાઇ અને હંસાબેનને પાઇપથી મારમાર્યો હતો. દેકારો બોલતા ચારેય શખ્સો ભાગી ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ચારેય શખ્સોએ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાનો દેવીપૂથક દંપતિએ આક્ષેપ કર્યો છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)