Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

શહેર ટ્રાફિક બ્રાંચમાં એક સાથે ૧૬૦ લોકરક્ષકની નિમણુંક કરતાં ગહલોૈતઃ સાથે બદલીનો પણ ઘાણવો

એ-બી-ભકિતનગર-થોરાળા-તાલુકા-પ્ર.નગર-માલવીયાનગર-ટ્રાફિક બ્રાંચ, રીડર શાખા, ખાસ શાખા તેમજ પોલીસ હેડકવાર્ટરના કર્મચારીઓની અરસ-પરસ બદલીના હુકમો

રાજકોટ તા. ૨૧: શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે ટ્રાફિક બ્રાંચમાં નવા ભરતી થઇ પ્રક્રિયાને અંતે પસંદગી પામેલા ૧૬૦ લોકરક્ષકની નિમણુંક કરી છે. આ ઉપરાંત શહેરના પોલીસ મથકો અને ખાસ શાખાના કર્મચારીઓને અરસ-પરસ બદલીનો ઘાણવો પણ કાઢ્યો છે.

એ-ડિવીઝનના હેડકોન્સ. જયેશભાઇ છૈયા, કોન્સ. ધર્મેશભાઇ, કમલેશભાઇ, બી-ડિવીઝનના હેડકોન્સ. વિક્રમસિંહ જીલુભા, પ્રભાતસિંહ લાભુભા, ભકિતનગરના એએસઆઇ કાંતિલાલ ઓધવદાસ, થોરાળાના એએસઆઇ મહેન્દ્રભાઇ અમરશીભાઇ, તાલુકાના કોન્સ. આપાભાઇ વીરાભાઇ, પ્ર.નગરના એએસઆઇ ભાર્ગવભાઇ મહેશભાઇ, માલવીયાનગરના કોન્સ. રૂખડભાઇ રામભાઇ, ખાસ શાખાના રાકેશભાઇ મનસુખભાઇ, રીડર શાખાના જગદીશભાઇ નાનુભાઇ, હેડકવાર્ટરના હરીશભાઇ વાલજીભાઇ, હિતેષભાઇ, મનહરભાઇ, અશ્વિનભાઇ, સંજયભાઇ, મહેશભાઇ, સંજયભાઇ, ધીરજલાલ, અમિતભાઇ અને કાંતિલાલને સાગમટે ટ્રાફિક બ્રાંચમાં મુકવામાં આવ્યા છે. ટ્રાફિક બ્રાંચના બી. કે. જાડેજાને સીટી પોલીસ કન્ટ્રોલ રૂમમાં મુકાયા છે. સાથે તેમને ટ્રાફિકની જવાબદારી પણ સંભાળવાની રહેશે.

કુલ ૧૭૮ લોકરક્ષકમાંથી ૧૬૦ને ટ્રાફિકમાં અને બાકીના ૧૮ને હેડકવાર્ટરમાં શ્રી ગહલોૈતે નિમણુંક આપી છે. આજીડેમના એક પી.એસ.આઇ, એક એએસઆઇ અને બે કોન્સ્ટેબલની પણ બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.

(1:05 pm IST)