Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતાધિકારનો કર્યો ઉપયોગ : કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય મંત્રી બપોર બાદ રાજકોટ પહોંચ્યા

રાજકોટ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ મહાનગર પાલિકા સામાન્ય ચૂંટણી મતદાન સંદર્ભમાં રાજકોટ  મહાનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું.

મુખ્યમંત્રી કોરોનાની સારવાર માટે  એક સપ્તાહ થી અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં આજે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા  મુખ્ય મંત્રી બપોર  બાદ રાજકોટ પહોંચ્યા હતા
તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડ લાઇન્સ અને માર્ગદર્શિકાના પાલન સાથે આજે સાંજે મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન રાજકોટ  ખાતે પોતાનો મત આપ્યો હતો અને નાગરિક ધર્મનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું

(8:55 pm IST)