Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

પોપટપરાના સંજય દારોદરાએ જિંદગીથી કંટાળી પેટ્રોલ છાંટી સળગીને આપઘાત કર્યો

રાજકોટઃ પોપટપરા-૧૧માં રહેતાં સંજયભાઇ બાબુભાઇ દારોદરા (ઉ.વ.૩૦) નામના યુવાને ૧૭/૨ના રોજ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં પરિવારજનોએ આગ બુઝાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પ્ર.નગરના એએઅસાઇ હરેશભાઇ રત્નોતર તથા માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઇમાં નાનો હતો અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતો હતો. માનસિક અસ્વસ્થ રહેતો હોઇ અને નશો કરવાની આદત હોઇ જિંદગીથી કંટાળીને પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

(1:59 pm IST)