Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

ગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતી વખતે શ્વાસમાં ધૂમાડો આવી જતાં ગુંગળાઇ જવાથી શૈલેષ રાજપરાનું મોત

રાજકોટઃ ગંજીવાડા મેઇન રોડ મહાકાળી ચોકમાં રહેતો શૈલેષભાઇ નરસીભાઇ રાજપરા (ઉ.વ.૩૫) ઘરે ૧૭/૨ના રોજ ઇમિટેશનનું કામ કરતો હતો ત્યારે તેનો ધુમાડો શ્વાસમાં ચડી જતાં ઝેરી અસર થતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં થોરાળાના એએસઆઇ પ્રવિણભાઇ વાઘેલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:57 pm IST)