Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સદ્ગુરૂ નેત્રયજ્ઞમાં ૩૯૧ દર્દીઓને નવી દૃષ્ટિ

રાજકોટ : શ્રી મનસુખભાઈ જેઠાભાઈ પદમાણી, સુરત તથા શ્રી વિઠલભાઈ બાબુભાઈ ભાદાણી, સુરત અને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સયુંકત ઉપક્રમે મેગા  નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં ૩૯૧ દર્દી ઓએ નવી દૃષ્ટિ મળી હતી. દર્દીઓને જમવા, ચા-પાણી નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે તેમજ ધાબળા વિતરણ કરવામાં આવેલ હતા.

(3:55 pm IST)