Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થ દ્વારા રવિવારે રકતદાન - સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ, તા. ૨૧ : શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થ દ્વારા આગામી તા.૨૩ના રવિવારના રોજ સવારે ૮ થી ૧૨:૩૦ સુધી શ્રી સરદાર પટેલ ભવન (ખીજડાવાળો રોડ, પાણીના ટાંકાની સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રકતદાન કેમ્પનંુ આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પનો ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. રેડક્રોસ બ્લડ બેંક અને વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી આયોજીત રકતદાન કેમ્પમાં ૨૦૦થી ૨૨૫ રકતની બોટલ એકત્ર થશે. રકતદાતાઓને ભેટ આપવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ રાજકોટ નોર્થના પ્રમુખ જયસુખભાઈ ડોબરીયા (મો.૯૮૭૯૮ ૨૦૨૦૨), ઉપપ્રમુખ જયેશભાઈ દુધાત્રા, સેક્રેટરી કાન્તીભાઈ સાકરીયા, ખજાનચી ભાવેશભાઈ સોજીત્રા, યોગેશભાઈ શેખડા, મુકુંદભાઈ રાદડીયા, જયંતભાઈ વેકરીયા, પરસોતમભાઈ કાકડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)