Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

વેલનાથપરામાં બેભાન થઇ જતા વિજયભાઇ સીતાપરાનું મોત

ભગીરથ સોસાયટીના વૃધ્ધ કેશુભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૧ : મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા કોળી યુવાન બેભાન થયા બાદ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ વેલનાથપરા શેરી નં. ૪માં રહેતા વિજયભાઇ રવજીભાઇ સીતાપરા (ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક વિજયભાઇ ચાર ભાઇમાં બીજા નંબરના હતા. તેને સંતામાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ વી.જી.બોરીયાએ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં. ૧માં રહેતા કેશુભાઇ છગનભાઇ ગોહેલ (ઉ.વ.૬૫) પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક કેશુભાઇ બે ભાઇમાં મોટા હતા તે અપરણીત હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ વી.જી.બોરીયાએ કાર્યવાહી કરી હતી.

(11:36 am IST)