Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કોર્પોરેશનથી વધુ એક અધિકારી કંટાળ્યા : સ્વૈચ્છીક નિવૃતિ લીધી

રાજકોટ, તા. ર૧ : મ્યુ. કોર્પોરેશનના વહીવટી તંત્રને કંટાળીને અનેક અધિકારીઓએ નિવૃતિ લઇ લીધી છે તેમાં વધુ એક અધિકારીનો ઉમેરો થયો છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ બાંધકામ શાખાના ડે. ઇજનેર અંબરીશ દેવશંકર મહેતાએ ૩૧ જાન્યુઆરી ર૦૧૮થી સ્વૈચ્છિક નિવૃતી મેળવવા અરજી કરેલ જેને મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ મંજુરી આપી અને અંબરીશ મહેતાને સ્વૈચ્છીક નિવૃત આપી દેતો હુકમ કરી દીધો છે.

નોંધનીય છે કે અગાઉ ટી.પી.ઓ, મહેકમ વિભાગ, ટેકસ વિભાગ વગેરેના અધિકારીઓએ ભૂતકાળમાં સ્વૈચ્છીક નિવૃતીઓ લઇ લીધાના દાખલા છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે.

(4:06 pm IST)