Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

દલિતો- આદીવાસીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે સ્વયંમ સૈનિકદળની રેલી

રાજકોટઃ તાજેતરમાં પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે દલિત સામાજીક કાર્યકર ભાનુભાઈએ આત્મવિલોપન કર્યું હતું. આ ઘટનામાં પાટણ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેમજ દલીતો અને આદીવાસીઓ ઉપર વધી રહેલા અત્યાચાર મામલે સ્વયમ્ સૈનિક દળ દ્વારા રાજકોટ શહેરમાં આજરોજ સ્કૂટરરેલીનું આયોજન થયેલ. જે મહાપાલીકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાના નિવાસસ્થાને ગયા હતા. બાદમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણાના નિવાસસ્થાને ગયા હતા. વિવિધ ચાર માંગણીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર મોકલવામાં આવ્યો છે. તસ્વીરમાં દલીતોની સ્કૂટરરેલી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)