Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રેલનગર કવાટરમાં દુકાને ભાગ લેવા જવાનું કહી નીકળ્યા બાદ ૧૫ વર્ષની સગીરા લાપતા

દાદાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો

રાજકોટ તા ૨૧  :  રેલનગર આવાસ યોજનાના કવાટરમાં ફઇબાના ઘરે આવેલી ૧૫ વર્ષની સગીરા દુકાને ભાગ લેવા જવાનું કહી નિકળ્યા બાદ પરત ન આવતા પ્ર-નગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ આંબેડકરનગરમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ગત તા.૧૩ના રોજ દાદી સાથે મકરસંક્રાંતીના તહેવાર નિમીતે ખીસરીયુ આપવા માટેરેલનગરમાં ડો. હેગડે ગોવાર આવાસ યોજના ટાઉનશીપ 'એ' વીંગ કવાટર નં.૭૦૩ માં રહેતા .ઇના ઘરે ગઇ હતી. બીજા દિવસે સગીરા કવાટર પાસે આવેલ દુકાને ભાગ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ પાડોશીને ત્યાં અને આસપાસ તપાસ કરી હતી, પરંતુ સગીરાનો કોઇ પતો ન લાગતા સગીરના દાદા કરશનભાઇ મકવાણાએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. વી.એસ. વણઝારાએ તપાસ હાથ ધરી છે.

(4:04 pm IST)