Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

આર્યનગરમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધ રમેશભાઇ પરમારનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ, તા.૨૧: પેડકરોડ આર્યનગર માં માનસિક બીમારી થી કંટાળીને દેવીપૂજક વૃધ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ પેડક રોડ આર્યનગરમાં ેશેરીનં. ૧૩માં રહેતા રમેશભાઇ બટુકભાઇ પરમાર (ઉ.વ.૬૨) એ રાત્રે પોતાના ઘરે પંખા સાથે મફલર બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની અને પુત્રી ઘરે આવ્યા ત્યારે દરવાજો બંધ હોઇ ખખડાવતા રમેશભાઇએ ન ખોલતા પરિવારજનો એ ધક્કો મારતા દરવાજો ખુલી જતા અંદર વૃધ્ધ રમેશભાઇને લટકતી હાલતમાં જોતા તકિદે ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના તબીબ નયનભાઇ પટેલે તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પીઅસઆઇ જે.આર. સરવૈયા તથા રાઇટર મહેશભાઇએ સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રમેશભાઇ ને સંતાનમાં ચાર પુત્ર છે. તે માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનો ધંધો કરતા હતા. તેણે માનસિક બીમારી થી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ હતું.

(4:03 pm IST)