Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાજકોટમાં બાપુએ ક્ષત્રિય સમાજ સાથે કરી મીટીંગ

રાજકોટની ભાગોળે આવેલ આશાપુરા ફાર્મ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની ઔપચારિક બેઠક યોજાઇ હતી. રાજકોટ પધારેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી વાઘેલા સાથે સાંપ્રત સમયની રાજકીય-આર્થિક તથા સામાજીક પરિસ્થિતિ અંગે ચર્ચા વિમર્શ થયો હતો. આ બેઠકમા પૃથ્વીરાજસિંહ સરવૈયા, કૌશિકસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, કિશોરસિંહ વાઘેલા, ઘનશ્યામસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:49 pm IST)