Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાજકોટ મોઢવણિક મહાજન ટ્રસ્ટમાં કન્વીનર- સહકન્વીનરની વરણી

આશીષ વોરા- સાવન ભાડલીયા- શ્રેયાંસ મહેતા- પ્રશાંત વાગડીયા- રાજદીપ શાહ- ચિંતન વોરા- હિરેન પારેખ- અશ્વિનભાઈ પટેલ

રાજકોટઃ ભારતનાં રાષ્ટ્રપિતા અને મોઢવણીક જ્ઞાતિનાં પનોતાપુત્ર પૂ.મહાત્મા ગાંધીજીનાં સંભારણા જેની સાથે જોડાયેલ છે તેવી રાજકોટ- સૌરાષ્ટ્રની મોઢવાણીક જ્ઞાતિની ૧૫૦ વર્ષ જુની સંસ્થા રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિનાં વિકાસનાં ઉમદા આશ્રય સાથે તાજેતરમાં વિવિધ પેટા કમીટીની રચના કરવામાં આવી છેે. જેમાં કન્વીનર અને સહકન્વીનરની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ મોઢવણીક મહાજન ટ્રસ્ટનાં પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા તથા મેનેજીંગ ટ્રસ્ટી કિરેનભાઈ છાપીયાનાં જણાવ્યા અનુસાર શ્રી રૂગનાથજી મંદિર વ્યસ્થાપન સમીતીનાં કન્વીનર તરીકે આશીષભાઈ વોરા તથા સહકન્વીનર તરીકે સાવનભાઈ ભાડલીયા, યુથવીંગનાં કન્વીનર તરીકે શ્રેયાંસભાઈ મહેતા અને સહકન્વીનર તરીકે પ્રશાંતભાઈ ગાંગડીયા, આઈ.ટી.સેલનાં કન્વીનર તરીકે રાજદિપભાઈ શાહ અને સહકન્વીનર તરીકે ચિંતનભાઈ વોરા, પ્રેસ મીડિયા કમીટીનાં કન્વીનર તરીકે હિરેનભાઈ પારેખ અને સહકન્વીનર તરીકે અશ્વીનભાઈ પટેલનાં નામની જાહેરાત કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:46 pm IST)