Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પૂ. રણછોડદાસજીબાપુએ કહેલુ ''મરીજ મેરા ભગવાન હૈ'': ભાગલપુર (બિહાર)માં ૫૨૪૭ આંખના ઓપરેશનો થયા

રાજકોટઃ પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં ''મરીજ મેરા ભગવાન હૈ'' ના વચનોરૂપી દિવ્યવાણીને સાર્થક કરીને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ભાગલપુર (બિહાર)માં ત્રણ માસ માટે એટલે કે૧૫માર્ચ - ૨૦૨૦ સુધી વિનામુલ્યે નેત્રયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અત્યાર સુધી એટલે કે તા.૨૦ સુધીમાં ૫૨૪૭ દર્દીઓને આંખોની નવી રોશની મળી છે.ઙ્ગએ ઉપરાંત તેઓને રહેવા, જમવા, ચા-નાસ્તો, દવા, ટીપા, ચશ્મા તથા રૂ.૧૦૦ રોકડા એક એક ધાબળો તથા અડધો મીઠી બુંદી તેમને સાથે આપવામાં આવે છે.

(3:43 pm IST)