Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

અનસંગ હિરોઝઃ કર્મનિષ્ઠ કર્મચારીઓનુ થશે સન્માન

પ્રજાસતાક પર્વ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા સાંજે અનોખો કાર્યક્રમ

રાજકોટ,તા.૨૧: ગુજરાત સરકાર દ્વારા આગામી ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્ત્।ાક પર્વની રાજય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સૌ શહેરીજનોમાં વધુ ને વધુ  રાષ્ટ્રભકિત અને દેશપ્રેમની લાગણી પ્રગટે તેવા ઉમદા હેતુ સાથે વિવિધ શ્રેણીબદ્ઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વેય આજે મ્યુ.કોર્પોરેશનનાં પાયારૂપ કર્મચારીઓના સન્માન માટે 'અનસંગ હીરોઝ' કાર્યક્રમ યોજાશે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે તા.૨૧  નારોજ સાંજે ૬:૦૦ વાગ્યે  પ્રમુખ સ્વામી ઓડીટોરિયમ ખાતે 'અન સંગ હીરોઝ' કાર્યક્રમનું આયોજન થનાર છે . જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પાયાના કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવશે. આ એવા કર્મચારીઓ છે જેઓ સફાઈ, ડ્રેનેજ, પાણીના વાલ્વ ઓપરેટ કરવા, સ્ટ્રીટ લાઈટ રીપરીંગ, તેમજ અન્ય શાખાની પાયાની કામગીરી સંભાળે છે.

(3:42 pm IST)