Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

સતનામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરીમાં ૫ દીકરીઓના સર્વજ્ઞાતીય સમૂહલગ્ન

રાજકોટ : સતનામ ચેરીટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા આગામી તા.૧૬ ફેબ્રુઆરીના પાંચ દીકરીઓના સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું઼ આયોજન જલજીત હોલની સામે, કોમ્યુનીટી હોલની બાજુમાં, કોર્પોરેશન પ્લોટમાં બોલબાલા માર્ગ - ૨ ખાતે કરાયુ છે. આયોજનમાં જગદીશભાઈ સરવૈયા, ચંદુભાઈ ગોહેલ, હંસાબેન શાપરીયા, મા ફાઉન્ડેશનના પ્રમુખ નયનાબેન ગોહીલ, રાજેશભાઈ ગોંડલીયા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.૯૫૭૪૭ ૭૦૭૪૨ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:52 pm IST)