Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કાલે રાજકોટમાં રઘુવંશી મહાકુંભ : બે લાખ લોકો મહાપ્રસાદ ગ્રહણ કરશે

પૂ.વિરદાદા જશરાજજીના શોર્યદિન નિમિતે રઘુવંશી પરિવાર દ્વારા સમગ્ર લોહાણા નાત જમણ : નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ સાથે રકતદાન કેમ્પઃ ''વીરદાદા જશરાજનગર'' રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેર આમંત્રણ : કુળગૌર શ્રી સાસ્વત બ્રાહ્મણને પણ રઘુવંશી પરિવાર દ્વારા નાત જમણમાં આર્શિવાદ આપવા અને સહ પરિવાર પધારવા આંમત્રણઃ વડીલો માટે ખુરશી ટેબલની વ્યવસ્થા

રાજકોટ, તા. ૨૧ : આવતીકાલે પૂ.શ્રી વીરદાદા જશરાજજીનો શૌર્યદિન છે. આ નિમિતે રેસકોર્ષના મેદાનમાં લાખો રઘુવંશીઓ એકસાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. સાથોસાથ નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટ અને રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આ જ્ઞાતિજમણ મહાપ્રસાદમાં અંદાજીત બે લાખથી વધુ રઘુવંશીઓ પ્રસાદ લેશે. આ મહાપ્રસાદમાં ૫૦૦૦ કિ.ગ્રા ખાંડ, ૪૦૦૦ કિ.ગ્રા. બેસન, ૩૦૦૦ કિ.ગ્રા. ઘઉંનો લોટ, ૨૦૦૦ કિ.ગ્રા. ઘોરવું, ૨૦ ટન કાષ્ટ, ૭૫૦ કિ.ગ્રા. શુદ્ઘ ઘી, ૩૦૦ ડબા તેલ, ૪૫૦૦ કિ.ગ્રા ખીચડી, ૨૫૦ કિ.ગ્રા. ડ્રાયફ્રુટ, ૩૦૦ કિ.ગ્રા. મરચા પાઉડર, ૧૦૦ કિ.ગ્રા હળદર, ૫૦ કિ.ગ્રા. ધાણાજીરૂ, ૨૦૦ ગુણી બટેટા, ૧૦૦૦ કિ.ગ્રા રીંગણા, ૧૦૦૦ કિ.ગ્રા. કોબીચ, ૨૦૦ કિ.ગ્રા. લીલા મરચા, ૫૦૦ કિ.ગ્રા. ગાજર, હિંગ તેમજ ગરમ મસાલા વગેરે સામગ્રી ઉપયોગમાં થશે.

જ્ઞાતિ જમણની સાથે સમાજના યુવક - યુવતી માટે નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. થેલેસેમીયા ટેસ્ટ માટે રૂા.૧૦૦ ડિપોઝીટ પેટે લેવામાં આવશે. જે રીપોર્ટ લેવા આવે ત્યારે ડીપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

આ નાત જમણના કાર્યક્રમમાં વિશેષ રૂપથી થેલેસમીયા ગ્રસ્ત બાળકો તથા અંધ મહિલા વિકાસ ગ્રહના બ્હેનો પણ કાર્યક્રમમાં રઘુવંશી પરિવારના આમંત્રણને સ્વીકારીને માહપ્રસાદ લેવા ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ દિકરાનુ ધર, ભભ ઢોલરા ભભ મુકામેથી સીનિયર સીટીઝનો પણ ખાસ મહાપ્રસાદનો લાભ લેશે.

રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા એક સાસ્કૃંતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મહિલા મંડળના હોદેદારો, ચેરમેન મનિષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂલતાબેન ચંદારાણા, વા. ચેરમેન શીતલબેન બુઘ્ધદેવ, પ્રમુખ પ્રિતીબેન પાંઉ, ઉ. પ્રમુખ શોભનાબેન બાટવીયા, મંત્રી જાગૃતીબેન ખીમાણી, સહ મંત્રી કિરણબેન કેસરીયા તથા ગાંધીગ્રામ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ કમલાબેન ભાગ્યોદય ખુબજ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને રજુ કરશે.

આ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા એક માસ થી તૈયારી રૂપે સમાજના શ્રેષ્ટીઓ દ્વારા માર્ગ દર્શન માટે શ્રી નવિનભાઈ ઠકકર, શ્રી સુરેશભાઈ ચંદારાણા, શ્રી મનુભાઈ જોબનપુત્રા, શ્રી જનકભાઈ કોટક, શ્રી શાંતુભાઈ રૂપારેલીયા, શ્રી હસુભાઈ ચંદારાણા, ડો. નિશાંત ચોટાઈ, શ્રી સુરેશભાઈ ગોળવાળા, શ્રી નરેન્દ્રભાઈ પોપટ, શ્રી નરેન્દ્રભાઈ પુજારા, શ્રી ચંદુભાઈ રાયચુરા(મામા), શ્રી દોલતભાઈ ગાદેશા, શ્રી નટુભાઈ કોટક, શ્રી હરેશભાઈ દાવડા, શ્રી ભરતભાઈ જલીયાણ, શ્રી અશ્વિનભાઈ બગડાઈ, તમામ શ્રેષ્ટીઓ દ્વારા યુવા ટીમને માર્ગદર્શન પુરૂ પાડેલ.

ંઆ નાત જમણના કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી હસુભાઈ ભગદેવ, શ્રી પ્રતાપભાઈ કોટક, શ્રી પરેશભાઈ વિઠ્ઠલાણી, શ્રી જેષ્ટારામભાઈ ચતવાણી, શ્રી શૈલેષભાઈ પાબારી, શ્રી રાકેશભાઈ પોપટની દેખરેખ હેઠળ યોજના બંધ જહેમત ઉઠાવેલ છે. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેહુલભાઈ નથવાણી, વિપુલભાઈ મણીયાર,  કલ્પેશભાઈ બગડાઈ, મંયક પાંઉ, કલ્પેશભાઈ તન્ના, અમિતભાઈ અઢીયા, ધર્મેન્દ્ર વસંત, ઉમેશભાઈ સેદાણી, કૌશીક માનસતા, રાજુ પોપટ, ભરતભાઈ રૂપારેલીયા, અશ્વિન બુઘ્ધદેવ, સંદિપ મણીયાર, મયુર અનડકટ, ભરત કોટક, જગદીશ ભોજાણી, રોહીતભાઈ કાનાબાર, પરેશ તન્ના, રાજ વિઠ્ઠલાણી, શ્યામલ વિઠ્ઠલાણી, રાજુ લાબેલા, હિરેન કારીયા, વિપુલ કારીયા, ધવલ પાબારી, વિમલ વડેરા, નિશીત જીવરાજાની, ધનેશ જીવરાજાની, પરાગ કોટક, વિજય કકડ, મોહીત નથવાણી, ઉદય સૌમૈયા, કૃણાલ માનસતા, પિન્ટુ માણેક, જતીન દક્ષિણી, અશ્વિન જોબનપુત્રા, પાર્થ જોબનપુત્રા, મનોજ લાલ, રાજુ પુજારા, હાર્દિક ચાંદ્રાણી, તરૂણ કોટક, વિજય કાબાણી, વિજય મહેતા, પ્રદિપ મહેતા, જયેષભાઈ, કેજસ, ધ્રુમીલ, દર્શીત રૂપારેલીયા, અશોક મીરાણી જહેમત ઉઠાવે છે.

(4:08 pm IST)