Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સમાજ સત્તા ઓનરશીપથી નહિ લીઝ પર આપે છે તે ભૂલવું નહિઃ પૂ. ધીરજમુનિ મ.સા.

ગીતગુર્જરીમાં જશ-પ્રેમ ધર્માલયમ્નું ઉદ્ઘાટન

રાજકોટ, તા. ૨૧ :. શ્રી ગીતગુર્જરી સ્થા. જૈન સંઘ-રાજકોટના આંગણે પુનઃ નિર્મિત જશ-પ્રેમ ધર્માલયમ્નું શાનદાર ઉદ્ઘાટન અનુગ્રહ પ્રદાતા પૂ. શ્રી ધીરગુરૂદેવના સાંનિધ્યે 'શય્યાદાન-મહાદાન'ના જયનાદે સંપન્ન થયેલ.

આ પ્રસંગે પૂ. નમ્રમુનિ મ.સા. તથા પ્રેરણાદાતા પૂ. હીરાબાઈ મ.સ., પ્રવર્તિની પૂ. વનિતાબાઈ મ.સ., પૂ. અજીતાબાઈ મ.સ. આદિ તથા બોટાદના પૂ. અરૂણાબાઈ મ.સ તેમજ અમેરિકા, લંડન, મસ્કત, મુંબઈ, લાલપુર, ગોંડલ, જેતપુર, સીંગાપોર, ઈથોપીયા વગેરે ગામના ભાવિકોની હાજરી હતી.

સુચિત્રા મહેતાના ભકિત સથવારે જૈનશાળાના નૃત્ય બાદ પૂ. ધીરગુરૂદેવે જણાવેલ કે સમાજ સત્તા ઓનરશીપથી નહિ લીઝ પર આપે છે માટે ટ્રસ્ટી કે હોદેદારોએ દરેક સાથે મીઠો વ્યવહાર કરવો એ જ સાચી સેવા છે.

પૂ. નમ્રમુનિજીએ ઉપાસકોને તૈયાર કરવા જણાવેલ અને પૂ. સ્મિતાજી મ.સ.એ મહાવીર સભાગૃહ માટે ટકોર કરેલ. ડો. ચંદ્રાવાડીઆ, દિલીપ મહેતા વગેરે દાતાછઓએ સંકલ્પ કરેલ.

જ્યારે નવકારશી બાદ બેન્ડના નાદે રીમોટથી ડો. પ્રભુદાસ અને ચંદ્રિકા લાખાણીએ ધર્માલયમ્ નામકરણનું અનાવરણ કર્યા બાદ ગીતાબેન લલિતભાઈ શાહે રૂ. ૨ લાખમાં રજત લાલોદ્ઘાટનનો ચડાવો લઈ દ્વારોદ્ઘાટન કરેલ. લીફટનો લાભ ડો. લાખાણી, દિલીપ મહેતા, રામભાઈ સીંધીએ લીધેલ.

સમારોહ મધ્યે આર્કિટેકટ દિલીપ પારેખ, નિર્માણ નિયોજક નીલેશ બાટવીયા અને સંઘ પ્રમુખ મીઠાઈ ત્યાગી શિરીષભાઈ બાટવીયા અને પ્લોટના માલિક દિવ્યેશ જસાણીનું સન્માન કરાયું હતું.

વિવિધ સંકુલનું સર્વશ્રી વસુબેન મહેતા (સીંગાપોર), લલિતભાઈ બાવીસી (માટુંગા), દિલીપભાઈ મહેતા (મસ્કત) તેમજ નલીન બાટવીયા, જયેન્દ્ર દામાણી, જીતુભાઈ બેનાણી, દિલસુખભાઈ શેઠ, ભૂપતભાઈ મહેતા, દેવીકાબેન પુનાતર, દીનાબેન બાટવીયા, નીતિન અજમેરા, હર્ષિદા સંઘવી, જે.એમ. પટેલ, વિજય બદાણી, ઈન્દિરાબેન કામદાર, મુકતાબેન પારેખ, ઈન્દુમતી રૂપાણી, તારાબેન ખંભાતવાળા વગેરે દાતાઓએ કરેલ.

જૈનાચાર્ય પૂ. શ્રી જશાજી સ્વામી સ્મૃત્યર્થે નિર્મિત પાંજરાપોળ ગૌ - વિરામ વાટિકામાં રૂ. ૧ લાખનો ચેક શશીકાંત વોરા, રાજેન બોઘાણી, ઈન્દુભાઈ કોઠારી, પ્રફુલ શેઠ, મુકુંદ બાવીસીના હસ્તે અર્પણ કરાયેલ.

જેતપુર સંઘના વિનુભાઈ કામાણી, જીતુભાઈ દેસાઈ વગેરેની વિનંતીની સ્વીકૃતિ રૂપે પ્રવર્તિની પૂ. પુષ્પાબાઈ મ.સ.ની ચાતુર્માસની જય બોલાવી હતી. ગોંડલ સંઘના મનીષ પારેખે ૩ ફેબ્રુઆરીના ગાદી ઉપાશ્રયના નૂતનીકરણ ઉદ્ઘાટનનું આમંત્રણ પાઠવેલ. યુવક મંડળે શિરીષભાઈ બાટવીયાનું સન્માન કરેલ.(૨-૧૮)

(3:50 pm IST)