Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની કાલે ગોંડલ રોડ સ્થા.જૈન સંઘ ખાતે પધરામણી

રાજકોટ તા.૨૧: રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.નો રાજકોટથી ગોંડલ ધારી તરફ વિહાર કરતા પહેલા કાલે તા.૨૨ને મંગળવારે સવારે ૭:કલાકે શ્રી ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા. જૈન સંઘ પારેખ ઉપશ્રય,૧-અંબાજી કડવા પ્લોટ, સમન્વયખાદી ભંડાર પાસે, આનંદબંગલા ચોક, મવડી મેઇન રોડ ખાતે પધારશે.

પૂજયશ્રીના સ્વ.મુખેથી ઉવસગ્ગ સ્તાંત્ર-સાધના પ્રવચન મંગલવાણીના કાર્યક્રમનું આયોજન સવારે ૭ થી ૮ રાખવામાં આવેલ છે. કાર્યક્રમ બાદ નવકારશીનું આયોજન ગોમટાવાળા રમણિકલાલ વેલજીભાઇ શેઠ હ.કંચનબેન શેઠ તરફથી રાખવામાં આવેલ છે.

સમસ્ત રાજકોટ સ્થા.જૈન સંઘોના પદાધિકારી ટ્રસ્ટીશ્રીઓ તેમજ કારોબારી દ્વારા પૂ.શ્રીને વિહાર શુભેચ્છા પાઠવવા, શ્રી ગોંડલ રોડ (વેસ્ટ) સ્થા.વાસી જૈન સંઘ પારેખ ઉપાશ્રય ખાતે કાર્યક્રમ સવારે ૮ કલાકે રાખવામાં આવેલ છે.(૭.૧૪)

 

(3:50 pm IST)