Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રૈયાધાર સ્લમ કવાટરમાં બેભાન થઇ જતા સીદીકભાઇ ખેરાણીનું મોત

રાજકોટ, તા.૨૧: રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા મુસ્લીમ યુવાનનું હૃદયની બીમારીના લીધે બેભાન થઇ જતા મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ રૈયાધાર સ્લમ કવાટરમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવતા સીદીકભાઇ હુસેનભાઇ ખેરાણી (ઉ.વ.૪૮)ને હૃદયની બીમારી હોઇ તેથી ગઇકાલે તે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિયજયું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ વી.એન. કુછડીયાએ કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)