Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

નશાની ટેવ ધરાવતાં શાંતિલાલનું થોરાળા પોલીસ મથક સામે મોત

બેભાન થઇ ઢળી પડતાં હોસ્પિટલે ખસેડાયો પણ...

રાજકોટ તા. ૨૧: ગંજીવાડામાં રામાપીર ચોકમાં મહાકાળી મંદિર પાસે રહેતો શાંતિલાલ ગંગારામ ચોધરી (ઉ.૪૨) નામનો યુવાન સાંજે થોરાળા પોલીસ મથક પાસે બેભાન થઇ ઢળી પડતાં કોઇએ તેમના પરિવારજનોને જાણ કરતાં પિતા ગંગારામ સહિતના દોડી આવ્યા હતાં અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યાનું જાહેર થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

થોરાળા પોલીસ મથકના એએસઆઇ જી.એલ. વાસાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર બે બહેનનો એકનો એક ભાઇ હતો અને કારખાનામાં મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર તથા ત્રણ પુત્રી છે. તેને નશો કરવાની ટેવ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(3:41 pm IST)