Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાષ્ટ્રહિત રક્ષક પરિષદ અને રાષ્ટ્રીય મુલ નિવાસી પંચાયત પરિષદ કાર્યાલયનું અમદાવાદ ખાતે ખુલ્લુ મુકાયું

રાજકોટ તા.૨૧: રાષ્ટ્રહિત રક્ષક અને રાષ્ટ્રીય મુલ નિવાસી પરિષદ કાર્યાલયનું અમદાવાદ ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાન મધુસુદનભાઇ મિસ્ત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશભાઇ પરમાર, સ્પતશુન સ્વામી, પ્રેરણાર્મૂતિ અનિલભાઇ જોષીયારા, રાષ્ટ્રીય મુલ નિવાસી પંચાયત પરિષદ પ્રદેશ મહામંત્રી વશરામભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય મુલ નિવાસી પંચાયત પરિષદ પ્રદેશ મહામંત્રી-રામભાઇ સોલંકી અને બહુજન સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટીના આગેવાનો ગુજરાતના તમામ સમાજના સંગઠનો સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ મ્યુ.કો વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા વશરામભાઇ ચાંડપા હિરાલાલ નરેશભાઇ જે. પરમાર રમેશભાઇ વઘેરા પણ ઉપસ્થિત રહેલ હતા.(૧.૨૮)

(3:25 pm IST)