Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

પૂ.ગુરૂદેવને શનિવારે વોકહાર્ટમાંથી રજા અપાશે

ગોંડલમાં પૂ.હરિચરણદાસજી બાપુના રૂમમાં ઈમરજન્સીની તમામ સુવિધાઓ રાખવામાં આવશેઃ રાજુભાઈ પોબારૂએ પરિવાર સાથે દર્શન કર્યા

રાજકોટ,તા.૧૩: પૂ.હરીચરણદાસ બાપુનું થાપાનું સફળ ઓપરેશન કર્યા  બાદ હાલમાં તેઓની તબીયત ખૂર સારી હોવાનું તબીબોએ  જણાવ્યું છે અને આગામી શનિવારે પૂ.ગુરૂદેવને વોકહાર્ટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ત્યાંથી તેઓને ગોંડલ લઈ જવાશે અને ગોંડલમાં પૂ.ગુરૂદેવના રૂમમાં ઈમરજન્સી, સીસીટીવી સહિતની સુવિધાઓ રાખવામાં આવશે.

પૂ.હરીચરણદાસજી બાપુએ હોસ્પિટલમાં આજે સવારે સ્નાન કરી નિત્યક્રમ મુજબ પૂજા કરી હતી. ત્યારબાદ તબીબોની ટીમે નિદાન કર્યુ હતું અને સંતોષ વ્યકત કર્યો હતો. પૂ.ગુરૂદેવને આગામી શનિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. પૂ.ગુરૂદેવને વોકહાર્ટમાંથી સીધા જ ગોંડલ લઈ જવાશે. જયાં તેઓના રૂમમાં ઈમરજન્સી સારવાર થઈ શકે તેવી તમામ સુવિધાઓ આપવામાં આવશે. ગુરૂભાઈ- બહેનો દર્શનનો લાભ લઈ શકે તે માટે સીસીટીવીની પણ સુવિધા રાખવામાં આવી છે.

દરમિયાન આજરોજ વોકહાર્ટ હોસ્પિટલમાં લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂ, પરીતાબેન પોબારૂ અને સિધ્ધાર્થ પોબારૂએ પૂ.ગુરૂદેવના દર્શનનો લાભ લીધો હતો.

(4:10 pm IST)