Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શાસ્ત્ર લક્ષ્મણ રેખા છે, તે જીવોનુ રક્ષણ કરે પણ બંધન ન કરેઃ લંડનમાં પ્રભુ સ્વામીની મંગલ વાણી

રાજકોટ ગુરૂકુળના સંતો દ્વારા વિદેશની ધરા પર વચનામૃત મહોત્સવ

ઈંગ્લેન્ડના લંડન ખાતે હેરો વિસ્તારમાં રાજકોટ ગુરૂકુળના સંતો દ્વારા ઉજવાયેલ વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ પ્રસંગે પૂજન - સત્સંગમાં શ્રી પ્રભુ સ્વામી , વિરકતજીવનદાસજી સ્વામી, ભકિતનયનદાસજી સ્વામી વગેરે સંતો અને હરિભકતોએ ભાગ લીધેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૨: શાસ્ત્ર એ લક્ષ્મણ રેખા છે તે જીવોનું રક્ષણ કરે છે પરંતુ બંધન ક્યારે કરતું નથી એમ આજે લંડન ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન યુકેના ઉપકમે યોજાઇ રહેલ વચનામૃત દવે શતાબ્દી મહોત્સવના દ્વિતીય દિવસે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું .

વધુમાં તેઓશ્રીએ કહ્યું હતું કે માપ્રબાપ પોતાના બાળકનું હંમેશા હિત કરે છે. આપણે ભગવાનના સંતાનો છીખે ત્યારે ભગવાન આપણું સુખ નહીં પણ હિત જ કરતા હોય છે , એમણે આપેલા આદેશો રૂપ વચનામૃત કે શ્રી કૃષ્ણ ભગવાને આપેલ શ્રીમદ્? ભગવદ્? ગીતા , વ્યાસ ભગવાને આપેલ શ્રીમદભાગવત કે તુલસીદાસજી મહારાજે લખેલ રામાયણ વગેરે શારસો ક્યારે આપણે દુઃખી થઈએ એવું જીવન જીવવાનું શીખવતા નથી.

લંડનના હેરો વિસ્તારમાં મોર હાઉસ રોડ ખાતે આવેલ કેન્મોર સ્કૂલના મધ્યસ્થ ભવનમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા ત્રિદિ નાત્મક વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે (આજે માગશર સુદ ચોથના દિવસે ૨૦૦ વર્ષ પહેલા સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં આવેલ ગહડા ગામે દાદાખાચરના દરબારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે જે અમૃતપ્રવચનો વહાવેલા તેનો પ્રારંભ આજે કરેલ. તે દિવસને ઉપલક્ષ્યે લંડનમાં વસતા ભાવિકો દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

આ પ્રસંગે શાસ્ત્રી શ્રી   વિરકત જીવનદાસજી સ્વામી તથા પુરાણી શ્રી ભકિતતનયદાસજી સ્વામીએ વચનામૃત ઉપર કથાવાર્તા સત્સંગનો વિશેષ લાભ આપેલો .ગુરુવર્ય શ્રી દૈવકૃષ્ણદાસજી સ્વામીના  આશીર્વાદ સાથે વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં છેલ્લા છ વર્ષથી વચનામૃતના અખંડ પાઠ તથા પૂજન થઈ રહેલું છે . ૭૦૦ પાનાના આ વચનામૃતમાં ૨૩૦૦ ઉપરાંત પાઠ પૂર્ણ થયા છે

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી પોતાની નિત્યપૂજામાં વચનામૃતનું વાંચન આજીવન કરતા રહેલા .આજે દેશન્વિદેશના બધા ગુરુકુલમાં રવિવારે સાંજે રવિ સભામાં વચનામૃત ઉપર સંતો તિશેષ સમજૂતી આપી રહેલ છે . રાજકોટ ગુરુકુલ પરિવાર માં વચનામૃત દ્વીશતાબ્દીની ઉજવણી નિમિત્તે ૫૨,૦૦૦ ઉપરાંત વચનામૃતના વિશેષ પાઠ થયા છે એમ શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે મારી વાણી એ મારું સ્વરૂપ છે , ત્યારે આ વચનામૃત એ સ્વયમ ભગવાનની વાણી છે. આ વચનામૃતમાં ૬૨૧ જેટલા પ્રશ્નો ઉત્તર થયેલા છે જેના જવાબો ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા છે અને એ જવાબો ત્યારના નંદ સંતોએ એ ટાઇમે એ લખી લીધેલા છે .

સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરનારા સુર શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાનને પામવા ને જગતથી મુકાવા ઈચ્છતા મુમુક્ષ માટે આ ગ્રંથ  બહાર કંઈ જ નથી. તમારા મનની સમસ્યા કંઈ હોય અને એ ટાઇમે તમે આ વચનામૃત ગ્રંથ લઈને બેસો અને તેનું જે પાનું ખુલે એ પાનું વાંચવાથીજ તમારા મનની સમસ્યા અવશ્ય મળીજાય છે,

આજે સભામાં ઉપસ્થિત હરિભકતોએ સૌના હાથમાં કેક રાખી ભગવાનને મંત્રો દ્વારા જમાડેલ. ઉપરાંત સંતોએ તેમજ યજમાનોએ ગ્રંથ રાજ વચનામૃતનું ભાવ પૂજન કરેલ . બધા જ મહિલા તથા પુરુષો એ વચનામૃતનો ૫૦ કિલો સુકામેવા બદામ , કાજુ , કિસમિસ થી અભિષેક કરેલ જેનો પ્રસાદ સહુ ભાવિકોને આપવામાં આવેલ .

ઉત્સવ દરમિયાન પાકિંગ , ભોજન તેમજ સભા વ્યવસ્થાની સેવામાં રોકાયેલા સ્વયંસેવકોએ ૨૦ કિલો મોતીનો ૨૦ ફૂટ લાંબો હાર ભગવાન તથા ગ્રંથરાજ વચનામૃત તેમજ વચનામૃતનું ૨૦૦ વર્ષ પહેલાં સંકલન કરનાર સદગુરુ શ્રી મુકતાનંદ સ્વામી, શ્રી ગોપાળાનંદ સ્વામી . શ્રી નિત્યાનંદ સ્વામી તેમજ શ્રી શુકાનંદ સ્વામીને પહેરાવી પૂજન કરેલ. ર્ંઉત્સવમાં સૌને રસોઈ બનાવીને જમાડવાની સેવા શ્રી ભકિત મહિલા મંડળે કરેલ જ્યારે સભા વ્યવસ્થા તેમજ પાકિંગની વ્યવસ્થા -૧ ડિગ્રી જેવી ઠંડીમાં પણ યુવાનોએ ખંતથી બજાવેલસંતોએ આ યુવાનોને બિરદાવી રૂડા આશીર્વાદ પાઠવેલ.

આ પ્રસંગે શ્રી ભીમજીભાઈ સવાણી કેરા, શ્રીકાંતિભાઇ ગામી, રાજેશભાઈ ગોરસીયા ,હિતેનભાઈ રાઘવાણી,વિનોદભાઈ, નારાયણભાઈ રાઘવાણી ,હિતેશભાઈ લખાણી, રવજીભાઈ બળદિયા વાળા ,બાબુભાઈ પરમાર, નરેશભાઈ સાવલિયા, દિલીપભાઈ ઢોલરીયા ,ભરતભાઇ દેસાઇ ,સુરેશભાઈ બાબરીયા ,હરિકૃષ્ણ ભાઈચાંગેલા ,અનિલભાઈ ગેવરીયા,ભાવિનભાઈ હિરપરા ,અર્જુન ભાઈ પટોળીયા, વિપુલભાઈ , ભાવેશભાઈ કયાડા તથા ઇસ્ટ લંડનના યુવાનો વગેરે હરિભકતો ઉપસ્થિત રહેલ, મહોત્સવના આજના દિવસના યજમાન તરીકે શ્રી અંકિત ભાઈ ગોંડલીયા, ભરતભાઈ ખાખરીયા. શ્રી સુરેશભાઈ બાબરીયા તેમજ શ્રી ભકિત મહિલા મંડળના બહેનોએ લાભ લીધેલ હતો.

(3:28 pm IST)