Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

જુના ઝઘડાનો ખાર રાખી છાત્ર હાર્દિકસિંહને ૪ શખ્સોએ માર માર્યો

ભીડભંજન સોસાયટીમાં બનાવઃ વિશાલ કાનગડ સહિત ચાર સામે ગુનો

રાજકોટ તા. ૯ : યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી છાત્ર પર ચાર શખ્સોએ ઘરમાં ઘુસી છરી, પાઇપ તથા ધોકાથી માર મારતા ફરીયાદ થઇ છ.ે

મળતી વિગત મુજબ ભીડભંજન સોસાયટી શેરી નં. રમાં રહેતા અને ધોરણ ૧૧માં અભ્યાસ કરતા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.૧૯) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ત્રણ દિવસ પહેલા પોતે અમીનમાર્ગ પર આવેલ વિનસ પાનની દુકાને હતો ત્યારે રામનાથપરા હાથીખાના પાસે રહેતા સની ડાંગરએ મિત્ર આકીલ જલવાણી સાથે સીગારેટ પીવા બાબતે માથાકુટ થઇ હતી. ત્યારે પોતે ત્યાં હતો ગઇકાલે પોતે આજીડેમ ચોકડી  પાસે રહેતા મિત્ર અજય લાવડીયાનો ફોન આવેલ ત્યારે તેણે સનીવાળી માથાકુટ બાબતે પુછતા પોતે જણાવેલ કે મને ખબર નથી તેમ કહેતા 'તાણે કેહલે કે' તું કયાં છો તેમ કહેતા તેણે કહેલ કે તું કયાં છો તેમ કહેતા  પોતે ઘરે હોવાનું જણાવતા તેણે ફોન કાપી નાખ્યો હતો થોડીવાર બાદ ચાર શખ્સો મોઢે રૂમાલ બાંધી વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી પાઇપ તથા છરી વડે માર મારી કાન પાસે તથા જમણા પગમાં છરી વડે છરકા કરી ભાગી ગયા હતા થોડીવાર બાદ મિત્ર વિશાલ કાનગડનો ફોન આવેલ અને કહેલ કે હું હતો મારવામાં હતો થાય તે  કરી લે જે તેમ કહ્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ. ડી.વી. બાલાસરાએ તપાસ આદરી છે.

(4:03 pm IST)