Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

''માનવ કલ્યાણ મંડળ-ગુજરાત'' દ્વારા માતાજીની શોભાયાત્રા-રાસ ગરબા

 રાજકોટઃ સમસ્ત પાટીદાર સમાજનાં માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં પ્રમુખ મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, નાથાભાઇ કાલરીયા, જયોતીબેન ટીલવા, શ્રીમતી વિભાબેન પટેલ, ભાવનાબેન રાજપરા, ધરમસીભાઇ સીતાપરા, મીનાબેન પરસાણા, કૈલાશબેન માયાણી, દીપ્તીબેન સંઘાણી, વર્ષાબેન મોરી, દ્વારા કડવા પટેલ અને લેઉવા પટેલની દીકરીઓ માટે તદ્દન નિઃશુલ્ક ધોરણે નવરાત્રીમાં માતાજીની વાજતે ગાજતે બગીઓમાં શોભાયાત્રા બેંડ ઢોલ સાથે યોજી આધુનીક રાસ ગરબાનો કાર્યક્રમ રાજકોટ હેમુ-ગઢવી હોલમાં યોજાયેલ. જેમાં ભાગ લેતા ર૯૬ દીકરીઓને જમણવાર સાથે ગ્રુપ વાઇજ સીલ્ડ અને બાકીના તમામને કોપલીમેંટરી ઇનામો અને સર્ટી. આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પાટીદારોની સંસ્થા માનવ કલ્યાણ મંડળ-ગુજરાતનાં આર્થીક સહયોગથી કરવામાં આવેલ. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની સલાહકાર સમીતીનાં ચંદુભાઇ વિરાણી, મૌલેશભાઇ ઉકાણી, નાથાભાઇ કાલરીયા, વલ્લભભાઇ કટારીયા, વિઠલભાઇ ધડુક, જગદીશભાઇ કોટડીયા, ગુણવંતભાઇ ભાદાણી, શિવલાલ આદ્રોજા, મુળજીભાઇ ભીમાણી, સ્મિતભાઇ કનેરીયા, કિશોરભાઇ ભાલાળા, મનસુખભાઇ પાણ, વલ્લભભાઇ વડારીયા, ભરતભાઇ પરસાણા, ધરમશી સીતાપરા અને કારોબારી સમિતિનાં મનસુખભાઇ કમાણી, ગૌતમભાઇ ધમસાણીયા, પિયુષ પટેલ, મનિષભાઇ વડારીયા, મનુભાઇ મેરજા, મીલન મેરજા, મનસુખભાઇ હિંસુ, પ્રફુલ સોજીત્રા, રસીકભાઇ લાડાણી, નરેંદ્રભાઇ ગોલ, પ્રફુલભાઇ ગોધાણી, ઓ. વી. ભોરણીયા, જસુભાઇ ઠોરિયા, દીપા પટેલ, દર્શના પટેલ, વર્ષાબેન મોરી, શિતલ દેકીવાડીયા, શારદાબેન ગોધાણી, કીર્તીબેન માકડીયા, રેખાબેન ત્રાંબડીયા, નયનાબેન માકડીયા, મીના ધરસાંડીયા, રશ્મિબેન નિંદ્રોડીયા, હેમાદ્રી નિંદ્રોડીયા, કાન્તાબેન ફળદુ, વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સંસ્થા ફ્રી મેરેજ બ્યુરો પણ ચલાવે છે. જેમાં રજી. માટે ઓનલાઇન સંસ્થાની વેબ સાઇટની મુલાકાત લઇ શકાય છે. વધુ માહિતી માટે મો. ૯૦૧૬પ ૦૦૭૬૧, ૯૪ર૯૧ ૬૬૭૬૬ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

(3:33 pm IST)