Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સદ્ગુરૂ સૂપર મેગાનેત્રયજ્ઞઃ ૨૯૫ દર્દીને નેત્રમણી આરોપણઃ

રાજકોટઃ ચુનીલાલ જગજીવન કારીયા પરિવાર-અમરેલી,કૃષ્ણકુમાર કારીયાના જન્મ દિવસ નિમિતે, હસ્તે નવનીતભાઇ કારીયા તથા રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેર તથા જીલ્લાને આંખના મોતિયા વિહિન કરવાના અશ્વમેઘ સંકલ્પ પૈકી ૩૮મો સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૨૯૫ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી. આ નેત્રયજ્ઞમાં દર્દી ભગવાને રહેવા, જમવા,ચા-પાણી નાસ્તો,શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા, તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.(૭.૩૮)

 

(4:16 pm IST)