Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

મ્યુ. કોર્પોરેશનથી વધુ ૪ ઈજનેરો ત્રાહીમામઃ રાજીનામા આપ્યા

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશનમાં જાહેર વ્યવસ્થા અંગેની વહીવટી કામગીરી થતી હોય લોકપ્રશ્નો મામલે અવારનવાર અધિકારીઓ અને નાગરીકો વચ્ચે નાના-મોટા ઘર્ષણો - વિવાદો થતા રહે છે ત્યારે અનેક અધિકારી-ઈજનેરોએ ભૂતકાળમાં કોર્પોરેશનની આ કામગીરીથી કંટાળી અને રાજીનામા મુકી દીધાના દાખલા છે, ત્યારે આ પ્રકારે વધુ ૪ ઈજનેરોએ પોતાના રાજીનામા મુકયા છે. જે પૈકી એકનું રાજીનામુ નામંજુર થયાનું જાણવા મળ્યુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશનના ૪ ઈજનેરોએ પોતાના સ્વૈચ્છીક રાજીનામા મુકયા છે. જેમાં ડે. એકઝીકયુટીવ ઈજનેર શ્રી ઘોણીયાનુ રાજીનામુ નામંજુર કરાયુ છે. જ્યારે અન્ય ઈજનેરોમાં પી.આર. ભટ્ટ, જી.જે. સુતરીયા અને ભરત વાંજા આ ત્રણેય ઈજનેરોના રાજીનામા પણ હજુ પેન્ડીંગ છે.

નોંધનીય છે કે, ઈજનેરોને રસ્તા, ગટર, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધા બાબતે દરરોજ લોકોની વચ્ચે જવુ પડે છે અને નાના મોટા પ્રશ્નો ઉકેલવા પડે છે ત્યારે ઘર્ષણો અને માથાકુટ થાય છે. આથી આવી કામગીરીથી કંટાળી જઈ ઈજનેરો પોતાના રાજીનામા મુકી રહ્યાની ચર્ચા કોર્પોરેશન કચેરીમાં જાગી છે.(૨-૧૯)

 

(4:10 pm IST)