Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઇન્દ્રનિલ રાજયગુરૂના સમર્થનમાં કાર્યકરો-આગેવાનો મેદાનમાં : મીટીંગ યોજાઇ

રાજકોટ :  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરૂને મનભેર ફરીથી કોંગ્રેસમાં સક્રિય કરવા માટે સમાજનાં વિવિધ આગેવાનો  કોંગી કાર્યકરો અને વિવિધ જ્ઞાતિનાં આગેવાનો છેલ્લા ત્રણ દિવસથી જબ્બર અભિયાન છેડ્યું છે. જે અંગર્તત ગઇકાલે રાત્રે ભાવેશભાઇ બોરીચા, તુષાર નંદાણીયા અને જગદિશભાઇ મોરીની આગેવાનીમાં સેંકડો કાર્યકરો આગેવાનોને એકત્રીત થઇ અને ઇન્દરનિલભાઇને ફરી કોંગ્રેસમાં સક્રિય થવા વિનંતી કરી હતી. તે પ્રસંગની તસ્વીરો. આ મીટીંગમાં કાર્યકરોએ અને આગેવાનોની લાગણીને માન આપી ઇન્દ્રનિલ રાજયગુરૂએ પ્રેરક ઉદ્બોધન કર્યુ હતું અને તેઓએ કોઇપણ રાજકીય પક્ષ સાથે જોડાયા વગર પણ લોક પ્રશ્નો ઉકેલવા રાજકારણમાં સક્રિય થશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. જો કે ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ એવો આગ્રહ વ્યકત કર્યો હતો કે ઇન્દ્રનિલ રાજયગુરૂ ફરીથી કોંગ્રેસમાં પુરાજોશથી સક્રિય થઇ અને શહેર કોંગ્રેસને સક્ષમ અને લડાયક નેતૃત્વ પુરૂ પાડે. નોંધનીય છે કે ગઇકાલે સોશ્યલ મીડિયામાં એવા મેસેજ વાઇરલ થયા હતા કે શહેર કોંગ્રેસ દ્વારા કોઇ જ મીટીંગ બોલાવવામાં નથી આવી આવા મેસેજ બાદ પણ ગઇકાલે ઉપરોકત મીટીંગ યોજાઇ અને તેમાં ર૦૦ થી વધુ કોંગી આગેવાનો કાર્યકરોએ હાજરી આપી ઇન્દ્રનિલભાઇને પોતાનું સમર્થન જાહેર કરતા આ બાબતથી કોંગ્રેસનાં વર્તુળોમાં અનેક તર્ક- વિતર્કો થઇ રહ્યા હતા. જો કે મીટીંગના આયોજકોએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ મીટીંગ કોંગ્રેસ પક્ષ દ્વારા નહીં પરંતુ વ્યકિતગત રીતે આયોજીત કરાઇ હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૯.ર)

 

(2:30 pm IST)