Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગજ્જર સર્વિસ ગ્રુપ દ્વારા ડિરેકટરી 'સદ્દભાવ-૨૦૧૮'નું વિમોચન

રાજકોટ : ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર (દિવાનપરા) ખાતે ગ્રુપની ડિરેકટરી 'સદ્દભાવ ૨૦૧૮'નું વિમોચન તથા વર્ષ ૨૦૧૮-૧૯ના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. સ્વાગત પ્રવચન અને દ્વિવાર્ષિક અહેવાલનું વાંચન મંત્રી ગીરીશભાઈ પંચાસરાએ જયારે દ્વિવાર્ષિક હિસાબોનું વાંચન ખજાનચી વિપુલભાઈ ખંભાયતાએ કર્યુ હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન માલતીબેન પી. મેસવાણીયાનો પરિચય કિશોરભાઈ બદ્રકીયાએ આપ્યો હતો અને પુસ્તકો અને પુષ્પથી અભિવાદન જયોતિદાબેન વિપુલભાઈ ખંભાયતાએ કર્યુ હતુ. અતિથિ વિશેષ સોનલબેન હસમુખભાઈ સાંકડેચાનો પરિચય કિશોરભાઈ બીરાણીયાએ આપ્યો હતો. જયારે પુસ્તકો અને પુષ્પથી અભિવાદન દક્ષાબેન ગુણેન્દ્રભાઈ ભાડેશીયાએ કર્યુ હતું. ડી.જે. બાવળેચાના ઉદ્દબોધન બાદ ગ્રુપના પ્રમુખ ગુણેન્દ્રભાઈ ભાડેશીયાએ વર્ષ ૨૦૧૮-૧૯ની કારોબારી સમિતિની જાહેરાત કરી હતી.

જ્ઞાતિના કાર્યકર અને ગાયક કમલેશભાઈ ભારદીયાએ રફીસાહેબના યાદગાર ગીતો રજૂ કરીને સૌને સંગીતનો આનંદ લેવડાવ્યો હતો. કિશોર બદ્રકીયાએ પણ ગીત રજૂ કર્યુ હતું તો મધર્સ ડે નિમિતે નટવરભાઈ આહલપરાએ ઝવેરચંદ મેઘાણી અને કવિ દલપતરામની માતૃપ્રેમની કવિતા ગાઈ હતી. આભાર દર્શન ઉપપ્રમુખ રશ્મિભાઈ ભાડેશીયાએ કરેલ.

(4:22 pm IST)